પોતાની જીભ લપસાવવા માટે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષે બેફામ નિવેદનો માટે જાણીતા એવા મણિશંકર ઐયર લાંબા અજ્ઞાતવાસ બાદ પરત ફર્યા છે જેનું ભાજપ સમર્થકોએ જોરશોરથી સ્વાગત પણ કર્યું હતું.
અમદાવાદ: એક સાવ આશ્ચર્ય પમાડતી ઘટનામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરનો એક આર્ટિકલ છપાતાં ભારતીય જનતા પક્ષના સમર્થકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું! ગઈકાલે મણિશંકર ઐયરનો આર્ટીકલ The Print નામની ઘોર મોદી વિરોધી વેબસાઈટ પર છપાયો હતો. આ આર્ટીકલમાં ઐયરે મોદીને નીચ વ્યક્તિ કહેવાને પણ યોગ્ય ગણાવ્યું હતું.
2017ની ગુજરાત લોકસભાની ચૂંટણીનો પ્રચાર જ્યારે ચરમ પર હતો ત્યારે મણિશંકર ઐયરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નીચ આદમી કહ્યા હતા. જાણકારો કહે છે કે મણિશંકર ઐયરના આ નિવેદનને લીધે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો રથ સહેજ આગળ જતો રહ્યો હતો અને કટોકટીની લડાઈમાં તેણે સત્તા મેળવી હતી.
#WATCH: “Ye aadmi bahut neech kisam ka aadmi hai, is mein koi sabhyata nahi hai, aur aise mauke par is kisam ki gandi rajniti karne ki kya avashyakta hai?: Congress’ Mani Shankar Aiyar on PM Modi pic.twitter.com/sNXeo6a1Gi
— ANI (@ANI) December 7, 2017
જો કે ઐયરની આદત જૂની છે. તેમણે 2014ની લોકસભા ચૂંટણી અગાઉ પણ કોંગ્રેસ અધિવેશનની બહાર નરેન્દ્ર મોદીને ચા વેંચવાની ઓફર કરીને તેમને ચાયવાલા કહ્યા હતા. વડાપ્રધાન મોદીએ તે સમયે આ આખો મુદ્દો વાયરલ કરીને ચાય પે ચર્ચા નામનો એક આખો પ્રચાર કાર્યક્રમ ઉભો કરી દઈને પોતાના વોટ શેરમાં અભૂતપૂર્વ વધારો કરી લીધો હતો.
આ વખતની ચૂંટણી દરમ્યાન મણિશંકર ઐયરની ગેરહાજરી લોકોને આશ્ચર્ય પમાડી રહી હતી. જો કે ઐયરને બદલે સેમ પિત્રોડાએ નરેન્દ્ર મોદીને તેમજ તેમની સરકારને અપશબ્દો કહેવાની કે તેમને મદદ કરવાની જવાબદારી લીધી હોય એવા બયાનો આપ્યા હતા.
આ સમયે ભાજપના સમર્થકો દ્વારા એવી એક અફવા પણ ઉડાવવામાં આવી હતી કે બાલાકોટ એરસ્ટ્રાઈક્સ બાદ મણિશંકર ઐયર ક્યાંય દેખાતા નથી તો તેઓ બાલાકોટ ઘટના સમયે ત્યાં તો હાજર ન હતા? પરંતુ ઐયરે ગઈકાલે પોતાના આર્ટીકલ દ્વારા પોતાની હયાતીનું સર્ટીફિકેટ પણ આપી દીધું હતું અને આથી જ ભાજપ સમર્થકો ગેલમાં આવી ગયા હતા.
ઐયરે પોતાના આર્ટીકલમાં નરેન્દ્ર મોદીને નીચ વ્યક્તિ કહેવાને યોગ્ય ગણાવતા પોતાની જાતને ભગવાન સ્વરૂપ ગણાવતા કહ્યું હતું કે હું એ સમયે કેટલો સાચો હતો તેની હવે લોકોને ખબર પડી ગઈ હશે. આ ઉપરાંત મણિશંકર ઐયરે એવી ભવિષ્યવાણી પણ કરી હતી કે ભારતના સહુથી ગપોડી વડાપ્રધાનની વિદાય હવે નિશ્ચિત છે.
ભાજપના તેમજ નરેન્દ્ર મોદીના સોશિયલ મિડિયા સમર્થકોએ જોકે મણિશંકર ઐયરનું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે હવે તેઓ છેલ્લા તબક્કામાં ભાજપને જરૂર ફાયદો કરાવશે.
એક યુઝરે મણિશંકર ઐયરની એન્ટ્રીથી ભાજપ સમર્થક કેવા નાચી ગાઈ રહ્યા છે તેની GIF ઈમેજ Tweet કરી હતી.
Scenes at BJP headquarter after Mani Shankar Aiyar rises from political grave to defend his ‘neech’ remark. pic.twitter.com/YIAQJPLPoI
— Namoste India Chowkidar ✪ (@NamosteIndia) May 13, 2019
ભાજપના સોશિયલ મિડિયાના રાષ્ટ્રીય હેડ અમિત માલવિયાએ પણ Tweet કરતા કહ્યું હતું કે મણિશંકરે તેમની ભૂલ દોહરાવીને ફરીથી મોટી ભૂલ કરી છે.
Upset that Sam Pitroda was getting all the attention, the irrepressible Mani Shankar Aiyar pulls Pitroda’s foot out of his mouth and puts it in his…
Reiterates and justifies his ‘Neech’ comment for PM! pic.twitter.com/0oUcjegjp3
— Chowkidar Amit Malviya (@amitmalviya) May 14, 2019
તો જાણીતા રાજકીય વિશ્લેષક આનંદ રંગનાથને એક જાણીતી બોલિવુડ ફિલ્મના લોકપ્રિય ગીતને મણિશંકર ઐયરની એન્ટ્રી સાથે સરખાવ્યું હતું.
Mani Shankar Aiyar being welcomed. By BJP supporters. pic.twitter.com/06fZhhFZGq
— Anand Ranganathan (@ARanganathan72) May 13, 2019
પત્રકાર સ્વપ્ન દાસગુપ્તાએ બાલાકોટમાં મણિશંકર હાજર ન હોવાની ખાતરી કરતી ટીખળ કરી હતી.
Welcome back my good friend Mani Shankar Aiyar. Reassured that you weren’t there in Balakot. The BJP regretted your absence during the campaign but there is still the final over left.
— Swapan Dasgupta (@swapan55) May 14, 2019
એવું નથી કે માત્ર ભાજપ સમર્થકોએ મણિશંકર ઐયરની વાપસી અંગે મંતવ્યો આપ્યા છે. કોંગ્રેસ સમર્થક અને કોંગ્રેસના પ્રથમ પરિવારની સહુથી નજીક એવા તટસ્થ પત્રકાર પલ્લવી ઘોષે દુઃખ વ્યક્ત કરીને કહ્યું છે કે ભાજપને ફાયદો કરાવવા સેમ પિત્રોડા ઓછા હતા કે હવે ઐયર પણ પાછા આવ્યા?
Guess mani shankar aiyar was feeling left out : so decided to join pitroda to damage the party in midst of elections .
— pallavi ghosh (@_pallavighosh) May 14, 2019
eછાપું