છેલ્લા લગભગ 15 વર્ષથી રાજદીપ સરદેસાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોતાનો દ્વેષપૂર્ણ એજન્ડા ચલાવી રહ્યા છે પરંતુ ક્યારેય તેમાં સફળ નથી રહ્યા. તેમણે પોતાનો પ્રયાસ વારાણસીમાં પણ આદર્યો અને જુઓ જવાબમાં તેમને શું મળ્યું?
નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોતાનો અંગત તેમજ દેશમાં વ્યાપ્ત એક ખાસ ઈકોસિસ્ટમનો એજન્ડા ફેલાવવામાં અગ્રેસર કેટલાક પત્રકારો છે જેમાં રાજદીપ સરદેસાઈ પણ સામેલ છે. રાજદીપ સરદેસાઈનું વ્યક્તિત્વ એવું અજબ છે કે એક સમયે ગુજરાતના મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીએ પણ તેમની જાહેરમાં અવગણના કરી હોવા છતાં અને Twitter પર વારેવારે મોદી દ્વેષી એજન્ડા ખુલ્લો પડી જવા છતાં તેઓ બેશરમીથી તેઓ આ એજન્ડા આગળ વધારતા જ રહે છે.
હા, વચ્ચે વચ્ચે સત્યનો સામનો થઇ જતા તેઓ નરેન્દ્ર મોદીના વખાણ કરી બેસે છે પરંતુ જે લોકો તેમને જાણે છે તેઓ તે પ્રકારના સિઝનલ વખાણને અવગણે છે અને જે લોકો તેમના પ્રકારના ‘દ્વેષી પત્રકારત્વ’ ના ભક્ત છે તેઓ આ સમયે તેમને તટસ્થ કહીને તેના ઓવારણાં લેતા હોય છે. જેમ આગળ કહ્યું તેમ વારેવારે પોતાનું અપમાન સામે ચાલીને કરાવી બેસતા રાજદીપ સરદેસાઈને વધુને વધુ અપમાન કરાવવાની ઈચ્છા પણ ઉભી થઇ જતી હોય છે.
આવી જ એક ઈચ્છા લઈને રાજદીપ સરદેસાઈ આજતકનું માઈક લઈને વારાણસીમાં આવેલી એક સો વર્ષ જૂની ચાની દુકાનમાં ઘૂસી ગયા હતા. આપને યાદ તો હશે જ કે વારાણસી લોકસભા બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી વખત ચૂંટણી લડી રહ્યા છે અને અહીં આવનારા રવિવારે મતદાન છે. તો રાજદીપ સરદેસાઈ આ દુકાનમાં ભૂલથી ઘુસી ગયા હતા એની તો તેમને બાદમાં ખબર પડી હશે પરંતુ ત્યાં બેસીને ઓલરેડી ચા પી રહેલા વારાણસીના નાગરિકોને રાજદીપ તેમની સામે કેવા પાસા ફેંકવાના છે તેનો ખ્યાલ કદાચ પહેલેથી જ આવી ગયો હતો અને તેઓ રાજદીપની શાબ્દિક ધોલાઈ કરવા માટે તૈયાર થઇ ગયા હતા.
રાજદીપ સરદેસાઈએ શરૂઆત એવા મુદ્દે કરી કે વારાણસી પહેલેથી કોંગ્રેસનો ગઢ હતો અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા કમલાપતિ ત્રિપાઠી અહીંથી વારંવાર ચૂંટાઈ રહ્યા હતા તો હવે માત્ર પાંચ વર્ષ પહેલા છેક ગુજરાતથી આવેલા (નોન વારાણસી નાગરિક) મોદીએ શો ફેરફાર લાવી દીધો? રાજદીપને આ અંગે સહુથી પહેલા જ મળેલા જવાબથી અહીના મોદી તરફી વાતાવરણથી ચેતી જવું જોઈતું હતું, પરંતુ તેમ બન્યું નહીં. તેમના આ સવાલનો જવાબ આપનાર વ્યક્તિએ કહ્યું જે વારાણસીના વતની હતા કે રાજદીપ કદાચ 2014માં પણ આવ્યા હશે અને તેમણે જોયું હશે કે ઉમેદવારો લટકતા વીજળીના વાયરોને હટાવી હટાવીને રોડ શો કરતા હતા.
પાંચ વર્ષ બાદ હવે અહીં એક પણ વાયર લટકી નથી રહ્યો. આ ઉપરાંત કાશીની ગંદી અને સાંકડી સડકો જેની ગાંધીજી પણ છેક ગઈ સદીમાં ટીકા કરી ગયા છે તે હવે પહોળી અને સ્વચ્છ થઇ છે. આટલા જવાબ પછી પણ રાજદીપને સંતોષ નહોતો થયો કારણકે તેમને જોઈતો જવાબ હજી તેમને મળ્યો ન હતો. અહીં એક યુવાનને તેમણે ફરીથી એવો જ સવાલ કર્યો જેના જવાબમાં પેલા યુવાને કહ્યું કે અગાઉ ગંગા નદીમાં લોકો કપડા ધોવા જતા જેના પર પ્રતિબંધ આવ્યો છે અને ગંગા નદી સ્વચ્છ થઇ છે. પણ ના! આ પણ રાજદીપનો મનગમતો જવાબ ન હતો.
રાજદીપ સરદેસાઈને તો એવો જવાબ જોઈતો હતો જે મોદીની ટીકા કરતો હોય આથી તે તેને હાઈલાઈટ કરીને Tweet કરે અને મોદીની બદબોઈ કરે. આથી તેણે સવાલને થોડો ટ્વિસ્ટ આપ્યો અને પૂછ્યું કે ‘લોકો’ એમ કહે છે કે મોદી પ્રચાર વધુ કરે છે અને કામ ઓછું. તો શું હવે મોદીએ પ્રચાર ઓછો કરીને કામ વધારે કરવું જોઈએ કે નહીં?
જ્યારે બે થી ત્રણ વ્યક્તિઓ ઓલરેડી કહી ચૂક્યા હતા કે વારાણસીમાં મોદીએ અદભૂત કાર્ય કર્યું છે ત્યારે રાજદીપને આવા મૂર્ખતાપૂર્ણ સવાલ કરવાની શું જરૂર હતી તે તો તેમને જ ખબર. પરંતુ, આ સવાલના જવાબમાં એક વરિષ્ઠ નાગરિકે જે જવાબ આપ્યો તેણે તેને જાણેકે શાબ્દિક તેમજ તાર્કિક તમાચો મારીને ચૂપ કરી દીધો હોય એવું જરૂર લાગ્યું.
શું હતો એ જવાબ? તમારે તેને માટે આ નાનકડો વિડીયો જોવો જ રહ્યો.
eછાપું
હર હર મોદી ઘર ઘર મોદી
સચિનવાળું eg જોરદાર છે.
Modi ke chamche ho kya godi media ki bhi haay haay bulayi gai he would kyo nahi likha