આજે નવી લોકસભાના પ્રથમ સત્રના પ્રથમ દિવસે નવા સંસદ સભ્યોએ પોતાના સભ્યપદના શપથ લીધા હતા. આ પ્રસંગે લોકસભામાં અનેકવિધ રંગો જોવા મળ્યા હતા.
નવી દિલ્હી: 17મી લોકસભાનો આજે પહેલો દિવસ હતો. આજે સવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિરેન્દ્ર કુમારને નવી લોકસભાના પ્રો-ટેમ સ્પિકર તરીકે શપથ લેવડાવ્યા હતા.
ત્યારબાદ શરુ થયેલા નવી લોકસભાના પ્રથમ સત્રમાં ચૂંટાઈને આવેલા નવા સંસદ સભ્યોની શપથવિધિ શરુ થઇ હતી. આ શપથવિધિમાં સહુથી પહેલા ગૃહના નેતા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ લીધા હતા.
સામાન્યતઃ પ્રોટોકોલ અનુસાર ગૃહના નેતા બાદ વિપક્ષના નેતા શપથ લેતા હોય છે પરંતુ આ વખતે પણ કોઇપણ રાજકીય પક્ષ વિપક્ષી નેતાનું પદ મેળવવા માટે જરૂરી 56 બેઠકો જીતી શક્યો નથી. આથી સ્વાભાવિક રીતે બીજા સહુથી મોટા પક્ષ તરીકે કોંગ્રેસના નેતાને શપથ લેવાના હતા.
પરંતુ આ સમયે જ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી લોકસભામાંથી ગેરહાજર રહ્યા હતા. એક સૂત્રના કહેવા અનુસાર રાહુલ ગાંધી આજે સવારે જ એક અઠવાડિયાનું વેકશન માણીને લંડનથી પરત થયા છે.
તો એક અન્ય સૂત્રના કહેવા અનુસાર રાહુલ ગાંધી હજી પણ કોંગ્રેસ પ્રમુખપદ છોડવાના પોતાના નિર્ણય પર અફર છે અને આથી જ લંડનથી આવ્યા બાદ તેમને સમજાવવા માટે તેમના માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા વાડ્રા તેમને ઘરે ગયા હોવાથી તેઓ સંસદ આવી શક્યા ન હતા.
જો કે રાહુલ ગાંધીએ લોકસભામાં તેમની ગેરહાજરીની ચર્ચા થતા જ Tweet કરી હતી જેમાં કહ્યું હતું કે તેઓ બપોરે કેરળના વાયનાડથી સંસદ સભ્ય તરીકે શપથ લેશે. જો કે બપોરે પણ રાહુલ ગાંધી લોકસભામાં દેખાયા ન હતા.
My 4th consecutive term as a Member of the #LokSabha begins today. Representing Wayanad, Kerala, I begin my new innings in Parliament by taking my oath this afternoon, affirming that I will bear true faith and allegiance to the Constitution of India 🇮🇳
— Rahul Gandhi (@RahulGandhi) June 17, 2019
તો બીજી તરફ આ જ રાહુલ ગાંધીને તેમની પરંપરાગત અને વારસાગત અમેઠી બેઠક પર 55,120 મતે હરાવીને પોતાને જાયન્ટ કિલર સાબિત કરનાર સ્મૃતિ ઈરાનીને આજની શપથવિધિ દરમ્યાન કદાચ તાળીઓનો સહુથી લાંબો ગડગડાટ મેળવવાનું સન્માન મળ્યું હતું.
સ્મૃતિ ઈરાનીનું નામ જાહેર થવાની સાથે જ ટ્રેઝરી બેન્ચની પ્રથમ હરોળમાં બેસેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ તેમજ ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાની બેન્ચ થપથપાવીને સ્મૃતિ ઈરાનીનું અભિવાદન કર્યું હતું.
ભારતીય જનતા પાર્ટીના અન્ય સભ્યો પણ તેમાં જોડાયા હતા અને સ્મૃતિ ઈરાનીના શપથ લેવા સુધી આ તાળીઓ ચાલુ રહી હતી. કેન્દ્ર સરકારમાં સ્મૃતિ ઈરાની મહિલાઓ અને બાળવિકાસ મંત્રાલયનો હવાલો સંભાળી રહ્યા છે.
आज अमेठी से लोकसभा के निर्वाचित सदस्य के रूप में शपथ ली। प्रधानमंत्री @narendramodi जी, @AmitShah जी के प्रति धन्यवाद व्यक्त करती हूँ जिन्होंने मुझे अमेठी का प्रतिनिधित्व करने का अवसर दिया एवं अमेठीवासियों के प्रति आभार जिन्होंने @BJP4Amethi व मुझे अपना आशीर्वाद प्रदान किया। pic.twitter.com/FgE4zYpoHn
— Smriti Z Irani (@smritiirani) June 17, 2019
આજે પશ્ચિમ બંગાળથી ચૂંટાયેલા સંસદ સભ્યોએ પણ શપથ લીધા હતા. આ સભ્યોમાં કેન્દ્રીયમંત્રીઓ બાબુલ સુપ્રિયો અને દેબ્રશી ચૌધરી પણ સામેલ હતા. આ બંનેનું જ્યારે નામ લેવામાં આવ્યું ત્યારે બંગાળના ભાજપ સંસદ સભ્યોએ તેમનું અભિવાદન ‘જય શ્રી રામ’ નો સુત્રોચ્ચાર કરીને કર્યું હતું.
কেন্দ্রীয় মন্ত্রী শ্রী @SuPriyoBabul ১৭ তম লোকসভার সদস্য হিসেবে শপথ নিলেন। pic.twitter.com/Y7cVZuc2dn
— BJP Bengal (@BJP4Bengal) June 17, 2019
Took oath as Member of the 17th #LokSabha
Thank You People of Raiganj to give me an Opportunity to represent in Parliament. Slogan of “Jai Shri Ram” in the Temple of Democracy. pic.twitter.com/En4Du8GiR1
— Debasree Chaudhuri (@DebasreeBJP) June 17, 2019
યાદ રહે ચૂંટણી પ્રચાર દરમ્યાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જય શ્રી રામ બોલનારા ભાજપના કાર્યકર્તાઓને જેલમાં નાખી દીધા હતા.
eછાપું