દિલ્હી ક્રિકેટ એસોસિએશનના આજના એક નિર્ણય અનુસાર દિલ્હીનું ખ્યાતનામ ફિરોઝશાહ કોટલાનું નામ બદલીને હવે અરુણ જેટલી સ્ટેડિયમ કરવામાં આવશે.
નવી દિલ્હી: દિલ્હી ક્રિકેટ એસોસિએશને (DDCA) આજે કરેલા એક નિર્ણય અનુસાર દિલ્હીનું પ્રતિષ્ઠિત ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડને હવે નવું નામ આપવામાં આવ્યું છે. હવે તેને ‘અરુણ જેટલી સ્ટેડિયમ’ નામ આપવામાં આવશે.
News Alert: Kotla to be renamed as Arun Jaitley Stadium.
In a fitting tribute to its former president Arun Jaitley, @delhi_cricket has decided to name the Stadium after him. Mr Jaitley, who passed away on August 24, was president of the DDCA from 1999 to 2013. @BCCI— DDCA (@delhi_cricket) August 27, 2019
ગત શનિવારે અવસાન પામેલા ભૂતપૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અને DDCAના પૂર્વ અધ્યક્ષ અરુણ જેટલીને દિલ્હી ક્રિકેટને આપેલા તેમના પ્રદાન બદલ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ 1999 થી 2013 સુધી DDCAના અધ્યક્ષ રહ્યા હતા.
આ પ્રસંગે હાલના DDCA પ્રમુખ અને મિડિયા મોગલ રજત શર્માએ જણાવ્યું હતું કે
જે વ્યક્તિએ આ સ્ટેડિયમને નવું રૂપ આપ્યું તેના નામે આ સ્ટેડિયમનું નામકરણ કરવામાં આવે તેનાથી બહેતર બીજું શું હોઈ શકે? એ અરુણ જેટલીનું જ સમર્થન અને પ્રોત્સાહન હતું કે દિલ્હીએ વિરાટ કોહલી, વિરેન્દર સહેવાગ, ગૌતમ ગંભીર, આશિષ નહેરા, ઋષભ પંત અને અન્ય ખેલાડીઓ આપ્યા અને દેશનું સન્માન વધાર્યું.
આ જાહેરાત બાદ DDCAએ સ્પષ્ટતા કરી હતી કે માત્ર સ્ટેડિયમનું નામ જ બદલીને અરુણ જેટલી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે, મેદાનનું નામ ફિરોઝશાહ કોટલા જ રહેશે.
Clarification from DDCA president: The stadium has been named as Arun Jaitley Stadium,ground will continue to be called the Feroz Shah Kotla. https://t.co/g6SrErKhP9
— ANI (@ANI) August 27, 2019
વર્ષ 1883માં આ ક્રિકેટ ગ્રાઉન્ડને મોહમ્મદ બિન તુઘલકના પિતરાઈ ફિરોઝશાહ તુઘલકનું નામ આપવામાં આવ્યું હતું જેણે દિલ્હી પર શરીયત હેઠળ 1351 થી 1388 સુધી રાજ્ય કર્યું હતું.
eછાપું