કાયાપલટ: વિકાસ પર હવે ગુજરાતના નાના નગરોનો પણ હક્ક

0
256
Photo Courtesy: indiarailinfo.com

મુખ્યમંત્રી વિજય રુપાણીએ છેલ્લા આઠ દિવસોમાં લીધેલા મહત્ત્વના તેમજ ઝડપી નિર્ણયોમાં હવે સહુથી તાજો નિર્ણય રાજ્યના વિકાસમાં મહાનગરો સાથે નાના નગરોને જોડાવાનો નિર્ણય પણ સામેલ થઇ ગયો છે.

Photo Courtesy: indiarailinfo.com

ગાંધીનગર: ગુજરાતના દરેક મેટ્રો શહેરોની એક આગવી ડેવલોપમેન્ટ ઓથોરીટી છે જે સતત વિકસી રહેલા મહાનગરોના વિકાસને ગતિ તેમજ માર્ગદર્શન પૂરું પાડે છે. હવે આ જ તર્જ પર ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લેતા રાજ્યના નાના નગરોનો વિકાસ કરવાનો પ્લાન પણ મંજૂર કરી દીધો છે.

ગુજરાત સરકારના આ નિર્ણયના અમલની શરૂઆત સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા વિરમગામ તેમજ થાનગઢમાં થશે. આ બંને નગરોના ડેવલોપમેન્ટ પ્લાનને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માત્ર બે જ મહિનામાં મંજૂરી આપી દીધી છે.

આ નિર્ણય પાછળ ગુજરાત સરકારનું માનવું છે કે રાજ્યના વિકાસ માટે માત્ર મહાનગરોનો વિકાસ કરવો જ જરૂરી નથી પરંતુ તેની સાથે સાથે નાના નગરોનો વિકાસ કરવો પણ એટલો જ જરૂરી છે. વિરમગામ અને થાનગઢ સાથે રૂપાણી સરકારે આ યોજનામાં વડોદરા જીલ્લાના કરજણનો પણ સમાવેશ કર્યો છે.

આ ઉપરાંત સુરતના નાના વરાછા તેમજ કાપોદ્રાના અન્ય ફેરફારોને પણ મુખ્યમંત્રીની મંજૂરી મળી ગઈ છે. આ સાથે સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢના વિકાસ નકશાનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડવાને મુખ્યમંત્રી વિજય રુપાણીએ મંજૂરી આપી દીધી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા આઠ દિવસોમાં મુખ્યમંત્રીએ કેટલાક મહત્ત્વના નિર્ણયો ઝડપથી લીધા છે. આ નિર્ણયોમાં ચેકપોસ્ટ નાબુદી, ખેડૂતોને રાહત, લર્નિંગ લાઈસન્સની મંજૂરી ITIમાંથી લેવી, છ મહત્ત્વની સેવાઓ ઓનલાઈન કરવી તેમજ ઉત્તર ગુજરાતના આદિવાસીઓ માટે ખાસ યોજનાની જાહેરાત સામેલ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here