શું મંદીમાં શેર્સ વેંચી દેવાય? શું મંદી કાયમ ચાલુ જ રહેવાની છે? આ પ્રકારની મંદીમાં ભૂતકાળમાં મોટી અને સારી કંપનીઓના શેર્સની શું હાલત થઇ હતી અને અત્યારે તેમની શું પરિસ્થિતિ છે તે જાણીએ.
આજકાલ માર્કેટમાં મંદીનો સમય ચાલી રહ્યો છે. આપણને બધાને ખબર છે કે તેજી અને મંદી તો શેરબજારનો ભાગ છે તેમ છતાં આપણે મંદીના સમયમાં ગભરાઈ જઈને સારા સારા શેર્સ વેચી નાખતા હોઈએ છીએ.
થોડાં ઉદાહરણો જોઈએ.
કંપનીનું નામ | 2008માં મંદી પહેલા ભાવ | મંદી પછીનો ભાવ | નીચે%માં |
બજાજ ફાયનાન્સ | 42 | 5 | -88% |
મારુતિ સુઝુકી | 1096 | 491 | -55% |
આઈશર મોટર્સ | 480 | 187 | -61% |
એશિયન પેઈન્ટ્સ | 120 | 73 | -39% |
ટૂંકમાં તમે જોશો કે 2008ની મંદીમાં ભાવ 40%થી 88% સુધી નીચે ગયા હતા હવે હાલની મંદીમાં આજ કંપનીના ભાવમાં ઘટાડો જોઈએ અને જો આ કંપનીઓના શેર ના વેચ્યા હોત અને ધીરજથી પકડી રાખ્યા હોય તો આજે શું સ્થિતિ હોય?
કંપનીનું નામ | 30/01/2020 | 30/03/2020 | 12 વર્ષનું વળતર |
બજાજ ફાયનાન્સ | 4,364 | 2,240 | 448 ગણું |
મારુતિ સુઝુકી | 7,020 | 4,360 | 9 ગણું |
આઈશર મોટર્સ | 20,340 | 13,384 | 72 ગણું |
એશિયન પેઈન્ટ્સ | 1,805 | 1,595 | 22 ગણું |
તમે જોશો કે આજે મંદી શરુ થઇ ત્યારથી આ કંપનીઓના ભાવમાં પહેલા જેટલો જ ઘટાડો ટકાવારીમાં થયો છે છતાં 2008ની મંદી પછીનો વધારો જુઓ અને અંતે લાંબાગાળે 12 વર્ષના અંતે કેટલું વળતર આ કંપનીઓએ આપ્યું એ જુઓ.
આનો અર્થ સારી સારી કંપનીઓને પણ મંદીની અસર થાય છે એમના ભાવમાં પણ ઘટાડો થાય છે. જોરદાર ઘટાડો કહો તો એ પરંતુ એથી ગભરાટમાં આવી કંપનીના શેર વેચી ન દેતાં પકડી રાખવાથી તેજી તમને ખુબ સારું વળતર આપે છે.
આમ શેરમાં રોકાણ લાંબાગાળે વધુ વળતર આપે જ છે હા કંપની સારી હોવી જોઈએ કારણકે સ્વાભાવિક છે કે ધંધાને વિકાસ પામતા સમય લાગે છે રાતોરાત પૈસાદાર નથી થઇ જવાતું. તમારી પ્રોડક્ટ મજબુત હોય મેનેજેમેન્ટ તંદુરસ્ત હોય અને વિકાસની ઉજળી તકો હોય ત્યારે આવું તગડું વળતર શક્ય બને જ છે. આંબાવાડીમાં ફળો આવતા પણ પાંચ વર્ષનો સમય લાગે છે ત્યારબાદ બેઠાં બેઠાં ઓછી મહેનતે ફળો મળવા માંડે છે બસ એજ રીતે ધીરજના ફળ મીઠાં એમ શેરનું સમજવું.
શેરમાં લાંબાગાળાના રોકાણ માટે તથા સક્સેસન પ્લાનિંગ માટે અહી ક્લિક કરો.
eછાપું