વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા વર્ષો પહેલા સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી. આ મિશન દ્વારા વડા પ્રધાને દેશને સ્વચ્છ બનાવવા માટે એક ઝુંબેશ ચલાવી હતી. આ મિશનની દેશમાં ખૂબ વ્યાપક અસર જોવા મળી. પરંતુ તે પછી પણ, દેશમાં એક એવું સ્થળ હતું જ્યાં આ અભિયાનની કોઈ જરૂર નહોતી, આ ગામ એટલું તો સ્વચ્છ છે કે અહીં પ્લાસ્ટિકનું અસ્તિત્વ જ નથી.
ગામનું નામ ‘મોલીનોન્ગ’ છે અને તે મેઘાલય રાજ્યની પૂર્વમાં આવેલી ખાસી હિલ્સમાં સ્થિત છે.
21મી સદીના આ યુગમાં પર્યાવરણ સાચવવું અને તેની સતત સંભાળ રાખવી ખૂબ જ અનિવાર્ય બની ચૂક્યું છે.
ભારતમાં આવેલું ‘મોલીનોન્ગ’ આજે વિશ્વમાં પણ એક આદર્શ રહેણીકરણી માટેનું પ્રતિક સમાન બની બેઠું છે.
આ ગામની સ્વચ્છતા સિવાય ઘણી વાતો એવી છે જે, આજે સૌ કોઈ શહેર કે મોટા શહેરોએ અપનાવવી જોઈએ.
ચાલો, જાણીએ આ સ્થાનની વિશેષ બાબતો વિષે.
ભગવાનનો બગીચો
- આ ગામની સુંદરતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે તેને ભગવાનનો બગીચો કહેવામાં આવે છે.
- આ ગામ ઘણા વર્ષોથી સ્વચ્છતા માટે પ્રખ્યાત છે.
ઝાડના મૂળથી બનાવવામાં આવ્યો છે પુલ
- આ ગામમાં વૃક્ષોનાં મૂળથી પુલ બનાવવામાં આવ્યા છે.
- આ પુલોની સુંદરતા દૃષ્ટિ પર બનાવવામાં આવે છે અને તે ટ્રેકિંગ માટે પણ વિશેષરૂપે કામમાં આવે છે.
પ્લાસ્ટિકનું બિલકુલ અસ્તિત્વ છે જ નહીં
- આ સુંદર ગામમાં પ્લાસ્ટિકનું અસ્તિત્વ જ નથી.
- વાંસથી બનેલા ડસ્ટબીનનો અહીં ઉપયોગ કરવામાં આવે છે.
- આ ગામના લોકો સામાન લઈ જવા માટે કપડાંની બનેલી બેગનો ઉપયોગ કરે છે.
- અહીંનાં બાળકો પણ સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખે છે.
સાક્ષરતા દર 100%
- આ ગામના બધા લોકો શિક્ષિત છે.
- તે એક આદર્શ ગામ છે.
- અહીં લોકો ઝાડ માટે ખાતર બનાવવા માટે ખાડામાં કચરો નાખતા હોય છે.
અહીં બાળકોને માતાની અટક મળે છે
- આ ગામ મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પણ રજૂ કરે છે.
- અહીં બાળકોને માતાની અટક મળે છે અને પૈતૃક સંપત્તિ માતા ઘરની સૌથી નાની પુત્રીને આપે છે.
- આ ગામ ધોધ, ટ્રેક, લિવિંગ રુટ બ્રિજ, ડોકી નદી માટે પ્રખ્યાત છે.
- આ સ્થાનની પ્રાકૃતિક સુંદરતા જોવા લાયક છે.
- આ ગામમાં ઘણા રંગબેરંગી ફૂલોના બગીચા પણ છે જે સ્થાનની સુંદરતામાં વધારો કરે છે.
eછાપું
તમને ગમશે – સ્વચ્છ ભારત અભિયાન: સફાઈ કામદારો માટે અમિતાભ બચ્ચને આપ્યું અમૂલ્ય પ્રદાન