ભારતમાં આવેલા આ 7 પુલ જે વિદેશીઓ માટે મોટા આકર્ષણ છે

0
1098
Photo Courtesy: DNA

ભારતમાં વિશાળ સંખ્યામાં સેંકડો પુલ છે જે પોતાનામાં ખૂબ જ ખાસ છે. પુલ એ એક છેડાથી બીજા છેડાને જોડવા માટે ધાતુ અને કોંક્રિટની બનેલી રચના છે. પરંતુ ભારતમાં આવા ઘણા પુલ છે જે ફક્ત માર્ગોને જોડતા નથી, પરંતુ તેમની સ્થાપત્ય રચના અને વિશેષ તકનીકી માટે પ્રખ્યાત છે.

દૂર-દૂરથી લોકો આ પુલોની સુંદરતા જોવા આવે છે.

બ્રિજનું નિર્માણ ભારતમાં ઘણી જગ્યાએ કરવામાં આવ્યું છે જ્યાં તેનું નિર્માણ કરવું સહેલું ન હતું.

આવો, જાણો ભારતના સુંદર 7 પુલ વિશે.

વિદ્યાસાગર સેતુ

Photo Courtesy: Kolkata Tourism
  • હાવડા અને કોલકાતાને જોડવા માટે વિદ્યાસાગર સેતુનું નિર્માણ હુગલી નદી પર કરવામાં આવ્યું છે.
  • કેબલ લટકાવવાને કારણે તકનીકીની દ્રષ્ટિએ આ સેતુ ખૂબ જ વિશેષ છે.
  • વિદ્યાસાગર સેતુ જોવા માટે ખૂબ જ સુંદર છે.
  • ખાસ કરીને રાત્રે તમે આ પુલની સુંદરતા જોઈને મંત્રમુગ્ધ થઈ જશો.
  • 457 મીટર લાંબા અને 35 મીટર પહોળા આ બ્રિજનું નિર્માણ 1978 માં શરૂ થયું હતું અને 1992 માં પૂર્ણ થયું હતું.
  • આ બ્રિજ પરથી દરરોજ 85,000 થી વધુ વાહનો પસાર થાય છે.

કોરોનેશન બ્રિજ

Photo Courtesy: YouTube
  • પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં તીસ્તા નદી ઉપર કોરોનેશન બ્રિજ બનાવવામાં આવ્યો છે.
  • લીલાછમ વાતાવરણની ઝલક પ્રદાન કરતો આ પુલની સુંદરતા ખૂબ જ વિશેષ છે.
  • આ બ્રીજ 1941 માં 4 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો હતો.

વેમ્બનાડ રેલ બ્રિજ 

Photo Courtesy: YouTube
  • કેરળના કોચીમાં સ્થિત વેમ્બનાડ રેલ બ્રિજ એ ભારતનો સૌથી સુંદર રેલ્વે બ્રિજ છે.
  • આ પુલ કોચીમાં અડાપલ્લી અને વલ્લારપડમને જોડે છે.
  • 62 કિ.મી.ની લંબાઈ ધરાવતો આ પુલ ભારતના સૌથી લાંબા રેલ્વે પુલોમાંનો એક છે.
  • વેમ્બનાડ રેલ્વે બ્રિજ વેમ્બનાડ તળાવના ત્રણ ટાપુઓમાંથી પસાર થાય છે.

બાંદ્રા-વરલી સી લિન્ક, મુંબઇ

Photo Courtesy: DNA
  • મુંબઇમાં સ્થિત, બાન્દ્રા-વરલી સી લિન્ક એ કેબલ-સ્ટેડ બ્રિજ છે, જેનો અર્થ છે કે, તે સંપૂર્ણપણે કેબલ્સ દ્વારા સપોર્ટેડ છે જે ટાવરથી પુલના પાયા સુધી ચાલે છે.
  • આ પુલ જે ‘માહિમ ખાડી’ ઉપર છે અને તે ભારતનો સૌથી અદભૂત પુલ માનવામાં આવે છે.
  • પુલના સ્થાન અને દરિયાઇ જીવન પરના ભય જેવા કારણોને લીધે અનેક અવરોધો આવ્યા પછી, આ પુલ 2009માં લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
  • આ પુલ મુંબઇના પશ્ચિમ અને દક્ષિણ ભાગોને જોડે છે અને મુસાફરીનો સમય ઘટાડવામાં તેણે મોટો ફાળો આપ્યો છે.
  • માત્ર 10-15 મિનિટ સુધીનો સમય લેતો આ પુલ ખરેખર એક ઇજનેરી અજાયબી છે.

મહાત્મા ગાંધી સેતુ, બિહાર

Photo Courtesy: Indian Express
  • મહાત્મા ગાંધી સેતુ એ ભારતનો સૌથી લાંબો નદી પુલ છે અને તે ગંગા નદી પર સ્થિત છે.
  • આ પુલ 1982માં ખોલવામાં આવ્યો હતો અને રાજ્યની રાજધાની, પટનાને હાજીપુર સાથે જોડે છે.
  • 75 કિલોમીટર લાંબો પુલ ગેમન ઈન્ડિયા લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને આ અજાયબી પૂર્ણ કરવામાં તેમને દસ વર્ષ લાગ્યા હતા.
  • બિહારનો આ અભિન્ન ભાગ છે, કારણ કે, હજારો વાહનો અને પદયાત્રીઓ દરરોજ આ પુલનો ઉપયોગ કરે છે.
  • તે એક એન્જિનિયરિંગ અજાયબી માનવામાં આવે છે અને ઇન્ડિયા પોસ્ટ દ્વારા તેની યાદ માટે પોસ્ટલ સ્ટેમ્પ પણ શરૂ કરાઈ છે.

પમ્બન બ્રિજ, તામિલનાડુ

Photo Courtesy: The Hindu
  • તમિળનાડુમાં પમ્બન બ્રિજ એ ભારતનો પહેલો દરિયાઇ પુલ છે અને તે 1914માં ખોલવામાં આવ્યો હતો.
  • જ્યારે 1988 સુધી માર્ગ બ્રિજ પણ બનાવવામાં આવ્યો ત્યારે તે રામેશ્વરમ ટાપુ અને મુખ્ય ભૂમિ વચ્ચેનો એકમાત્ર કડી રહ્યો હતો.
  • જર્મન એન્જિનિયર શેર્ઝરે પમ્બન રેલ્વે બ્રિજના મધ્ય ભાગની રચના કરી છે, જે ખુલે છે અને તે ઘાટમાંથી જહાજ પસાર થવા દે છે. તે શીર્ઝર સ્પાન તરીકે પન્ પ્રખ્યાત છે.
  • આ બ્રિજ બનાવવા માટે એક દાયકાનો સમય લાગ્યો હતો, અને તે ચક્રવાતની લપેટમાં આવેલ હોવા છતાં પણ અડીખમ રહ્યો છે.

ગોલ્ડન બ્રિજ, ગુજરાત

Photo Courtesy: CN Traveler
  • ગુજરાતમાં સ્થિત, ગોલ્ડન બ્રિજ એ બ્રિટીશ યુગનો એક આઇકોનિક પુલ છે.
  • તે અંકલેશ્વરને ભરૂચ સાથે જોડે છે અને નર્મદા નદી ઉપર બાંધવામાં આવ્યો છે.
  • આ બ્રીજનું નિર્માણ બ્રિટિશ રાજ દ્વારા 1881માં કરવામાં આવ્યું હતું, જેથી વેપારના સરળ પ્રવાહ અને મુંબઇ બંદર શહેરમાં સ્થિત અધિકારીઓની સુલભતા સુનિશ્ચિત થાય.
  • આ પુલનું બાંધકામના વિશાળ ખર્ચને કારણે આ નામ આપવામાં આવ્યું છે.
  • આ પુલ એ ગુજરાતના ઇતિહાસનો એક અભિન્ન ભાગ છે અને આજે પણ સ્ટીલ માળખા હેઠળ નર્મદાના પાણીને જોવાનું એ દૃશ્ય આર્કિટેક્ચરલ આશ્ચર્ય છે.

eછાપું 

તમને ગમશે – રસપ્રદ કથાઓઃ આજે ‘ઓલા’ ભાઈની વાત કરીએ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here