કર્ણાટક વિધાનસભામાં લગભગ એક અઠવાડિયા ચાલેલી ચર્ચા બાદ વિશ્વાસના પ્રસ્તાવ પર મતદાન થયું હતું જેમાં JDS-કોંગ્રેસ સરકારની હાર થઇ હતી અને 18 દિવસ ચાલેલા કર્ણાટકના નાટકનો અંત આવ્યો હતો.
બેંગલુરુ: કર્ણાટકના નાટકનો આખરે 18 દિવસ બાદ અંત આવ્યો છે. છેલ્લા લગભગ એક અઠવાડિયાથી કર્ણાટક વિધાનસભામાં ચાલેલા વિશ્વાસ પ્રસ્તાવ પર આજે સાંજે લગભગ સાડાસાત વાગ્યે મતદાન થયું હતું. એચ ડી કુમારસ્વામી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા વિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં 99 મત અને વિરોધમાં 105 મત પડ્યા હતા.
છેલ્લા એક અઠવાડિયાથી લગભગ દરરોજ કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસના મત પર ચર્ચા ચાલી રહી હતી અને દરરોજ કોઈને કોઈ કારણસર મતદાનને આગલા દિવસ પર ટાળી દેવામાં આવતું હતું. આજે કર્ણાટક વિધાનસભાના સ્પિકર કે આર રમેશે કોઇપણ સંજોગોમાં મતદાન કરાવવાનું મુખ્યમંત્રી કુમારસ્વામીને કહ્યું હતું.
ત્યારબાદ આજે પહેલાં ધ્વનીમત માંગવામાં આવ્યો હતો પરંતુ કુમારસ્વામીએ મતદાનનો આગ્રહ રાખતા મતદાન થયું હતું. લગભગ 14 ધારાસભ્યો મતદાનથી દૂર રહ્યા હતા.
eછાપું