મધ્ય ગુજરાતના વડોદરા નજીક આવેલા તીર્થસ્થળ કાયાવરોહણ વિષે આ નાનકડા વિડીયો દ્વારા એ તમામ માહિતી જાણીએ અને જોઈએ જે તમારે ખાસ જાણવી જોઈએ.
વડોદરા: ગુજરાતના ખૂણેખૂણે આપણને કોઈને કોઈ મહત્ત્વના ધાર્મિક સ્થળ મળી આવે છે. ઘણીવાર આપણને કોઈ ધાર્મિક સ્થળ વિષે તો ખબર હોય છે પરંતુ તે આટલું મહત્ત્વનું કેમ છે તેના વિષે આપણને કોઈજ ખ્યાલ નથી હોતો. આવુંજ એક સ્થળ છે વડોદરા નજીક ડભોઇ પાસે આવેલું કાયાવરોહણ તીર્થ.
અમુક વડોદરાવાસીઓને પણ કદાચ ખ્યાલ નથી કે કાયાવરોહણ શબ્દનો મતલબ શું છે અને આ શબ્દની ઉત્પત્તિ કેવી રીતે થઇ અને આ તીર્થનું કેમ આટલું બધું મહત્ત્વ છે? કાયાવરોહણ વિષે સાચી અને વિસ્તૃત માહિતી મેળવવા માટે હાલમાં જ Team eછાપુંના બે સભ્યો શ્લોકા પંડિત અને ભાર્ગવ પટેલે આ તીર્થસ્થળની જાતમુલાકાત લીધી હતી. ચાલો આપણે પણ જોઈએ અમારી ટીમના આ મિત્રોએ નીચે આપવામાં આવેલા વિડીયોમાં શેર કરેલી કાયાવરોહણ વિષેની કેટલીક ખાસ તો કેટલીક અજાણી માહિતીઓ.
eછાપું